શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે સમાજના આગેવાનોના હસ્તે શિલ્ડ આપીને તેજસ્વી છાત્રોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા, મહેશભાઇ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનોની હાજરીમાં વિજ્યાદશમી નિમિતે મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, આજે બપોરથી મોરબી શહેરમાં વરસાદ ચાલુ હતો જેથી કરીને સમાજના લોકો કાર્યક્રમમાં આવશે કે કેમ તે પ્રશ્ન હતો પરંતુ સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સમાજના આગેવાનો સહિતના લોકો વરસતા વરસાદે પણ કાર્યક્રમમા આવ્યા હતા અને ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે આગેવાનોએ સમાજના દીકરા અને દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત કરવા માટે ટકોર કરી હતી. ત્યાર બાદ શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પણ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News