મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી જયંતિએ ૧૦ ટન કચરાનો નિકાલ કરાયો: કમિશનરના હસ્તે વોલ પેંટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE













મોરબીમાં ગાંધી જયંતિએ ૧૦ ટન કચરાનો નિકાલ કરાયો: કમિશનરના હસ્તે વોલ પેંટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

મોરબી મહાપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિતે ત્રિકોણબાગ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, ચીફ ફાયર ઓફિસર તથા અન્ય સ્ટાફ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી ચડાવવામાં આવી હતી અને પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબીમાં તા. ૧૭/૯ થી ૨/૧૦ સુધી "સ્વચ્છતા હી સેવા ૨૦૨૫" પખવાડીયા અંતર્ગત વિવિધ IEC પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમો અંતર્ગત વોલ પેંટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ સાથે જ એક કલાક, એક દિવસ, એક સાથેઅભિયાન હેઠળ સ્વચ્છતા માટે શ્રમદાનમાં યોગદાન આપનાર વિવિધ શાળાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત "સ્વચ્છ ભારત દિવસ" નિમિતે મોરબી મહાનગરપાલિકા મહારાણા દ્વારા પ્રતાપ સર્કલ થી સર્કીટ હાઉસ રોડ સુધી વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજયભાઈ સોની વિવિધ એસો.ના આગેવાનો સહિત અંદાજે ૧૦૦૦ લોકો જોડાયા હતા અને ૫ ટ્રેક્ટર, ૧ જેસીબી તેમજ ૧ લોડર દ્વારા લગભગ ૧૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.








Latest News