મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સોએ કર્યો છરી વડે હુમલો: એટ્રોસિટી સહિતની કલમ હેઠળ 3 સામે ફરિયાદ


SHARE



























મોરબીમાં વ્યાજના પૈસાની ઉઘરાણી માટે આવેલા શખ્સોએ કર્યો છરી વડે હુમલો: એટ્રોસિટી સહિતની કલમ હેઠળ 3 સામે ફરિયાદ

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા જોકે છેલ્લા છથી સાત મહિનાથી તે વ્યાજના પૂરા પૈસા આપી શક્યો ન હતો જેથી વ્યાજે રૂપિયા આપનાર શખ્સે અન્ય બે શખ્સને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે યુવાનના ઘર પાસે મોકલ્યા હતા જેથી તે શખ્સોએ યુવાનના ઘર પાસે જઈને રૂપિયાની માંગણી કરી હતી ત્યારે યુવાને પૈસાની સગવડ નથી તેવું કહેતા તેને ગાળો આપવામાં આવી હતી અને ઝાપટો મારી હતી તેમજ ઢીકાપાટુનો માર મારીને છરીના ઘા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા નં-5 માં રહેતા અનિલભાઈ મનોજભાઈ ચૌહાણ (24)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, આરોપી શિવમભાઈ રબારી પાસેથી તેણે વ્યાજે રૂપિયા લીધા હતા અને દર મહિને વ્યાજની ચુકવણી કરતો હતો જોકે છેલ્લા છથી સાત મહિનાથી વ્યાજના પૂરા પૈસા ફરિયાદી ચૂકવી શકેલ ન હતો જેથી શિવમભાઈ રબારીએ હીરાભાઈ અને પૃથ્વીરાજસિંહ ઝાલાને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે તેના ઘર પાસે મોકલ્યા હતા અને ત્યાં આવેલા બંને શખ્સોએ વ્યાજના પૈસાની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ પૈસાની સગવડ નથી તેવું કહેતા તેને ઉઘરાણીએ આવેલા શખ્સોએ ગાળો આપી હતી અને ફરિયાદી ગાળો આપવાનીના પાડતા હીરાભાઈ રબારીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને બેથી ત્રણ ઝાપટો અને ઢીકાપાટુનો મારમાર્યો હતો જ્યારે પૃથ્વીરાજસિંહ ઝાલાએ તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને પેટના ભાગે પડખામાં તથા વાસાના ભાગે ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News