મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત


SHARE



























કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને ધ્યાને રાખીને ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવેલ છે અને તેઓના મત વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના મારા મત વિસ્તાર આવતા મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી કરીને ઘણા ખેડૂતોના કાપસ, મગફળી સહિતના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોને ઉભા પાકમાં પણ નુકસાન થયેલ છે જેથી ઘણા ખેડૂતોએ તેઓને આ બાબતે રજૂઆતો કરી છે જેથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોય તેઓને સરકારી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે સત્વરે નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને સહાય પેટે વળતર આપવામાં આવે તે જરૂરી છે. આ પત્ર તેઓએ મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ મોકલવેલ છે.






Latest News