મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા


SHARE













મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતી નિમિત્તે મોરબીના રવાપુર-ઘુનડા રોડ પર એક અનોખા અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રબિંદુ જોવા જેવી દુનિયાછે. આ મહોત્સવનો શુભારંભ 1 નવેમ્બરના રોજ સાંજે 05:30 વાગ્યે થશે, અને ત્યાર બાદ 1 થી 7 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 04:30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ અનોખી દુનિયા નાના-મોટા સૌ માટે ખુલ્લી રહેશે.

જોવા જેવી દુનિયામાં 32 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલા સંકુલમાં આધુનિક મલ્ટીમીડિયા ટેક્નોલોજીથી સજ્જ ચિલ્ડ્રન પાર્કઅને થીમ પાર્કનો સમાવેશ થાય છે, જે જીવનના ગૂઢ પ્રશ્નોના ઉકેલ પ્રદાન કરશે. તેમજ વાલીઓ માટે બાળકોનું માનસ સમજીને કેળવણી કેવી રીતે કરવી તે માટે પેરન્ટસ કી પાઠશાલા દ્વારા સમજણ અપાશે. આ ઉપરાંત લકી-ડ્રો, ટેલેન્ટ શો સાથે જ્ઞાન પીરસતું એમ્ફીથીયેટર, સ્વાદિષ્ટ વાનગીઓનું ફૂડ કોર્ટ, ટેકનોલોજી અને જ્ઞાનના સમય કરતી વેબ દુનિયા, બાળ વિજ્ઞાન, અને પુસ્તક સ્ટોર્સ પણ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.

1 થી 7 નવેમ્બર સુધી સાંજે 4:30 થી રાત્રે 11:00 વાગ્યા સુધી જોવા જેવી દુનિયામાં ગમ્મત સાથે જ્ઞાન પીરસતા થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કનો લાભ મળશે. તેમજ 2,3 અને 5 નવેમ્બરે સવારે 10 થી 12:30 અને 2,3 નવેમ્બરે રાત્રે 08:30 થી 11 સંસારિક કે વ્યવહારિક પ્રશ્નોના સમાધાન માટે દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગનું આયોજન કરાયું છે. 4 નવેમ્બર સવારે 08:00 થી 09:20 અને ત્યારબાદ દિવસ દરમિયાન દાદા ભગવાનના 118મા જન્મદિવસની ઉજવણી નિમિતે પૂજન, આરતી અને પૂજ્ય દીપકભાઈના દૃષ્ટિદર્શનનું આયોજન તેમજ 5 નવેમ્બરે રાત્રે 07:30 થી 11:00 જ્ઞાનવિધિ કાર્યક્રમ યોજાશે.

આ મહોત્સવમાં દેશ-વિદેશથી અંદાજે 20,000 થી વધુ અનુયાયીઓ તેમજ મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી ધારણા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે. મોરબીવાસીઓને ઘરઆંગણે આ અદભૂત વિજ્ઞાન જાણવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે ત્યારે પધારવા આમંત્રણ પાઠવાયું છે. મુલાકાતીઓ jj.dadabhagwan.org વેબસાઇટ પરથી વધુ વિગતો મેળવી શકે છે.








Latest News