મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી


SHARE













જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી

ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠા કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી કરવાની તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે અને તેની લેખિત રજૂઆત સાંસદ, મંત્રી તેમજ ધારાસભ્યોને મોકલવી આપેલ છે. 

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા દ્વારા હાલમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં અણધાર્યા માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું ચ એયને કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમાં જ સડી ગયા છે. ગત તા. 3/11/2025 ના રોજ ટંકારાના 45 ગામના ખેડૂતો, આગેવાનો અને સરપંચોને સાથે રાખીને આવેદનપત્ર મલતદારને આપવામાં આવ્યું હતું.

વ્કધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ટંકારા તાલુકા ખેડૂતોના પાકના નુકસાન બદલ સહાય પેકેજ આપવામાં આવે તે અન્ય તાલુકાની સરખામણીમાં ઓછું સહાય પેકેજ જાહેર થવાની શક્યતા છે જેથી કરીને ખેડૂતોની મશ્કરી સમાન સહાય ન આપીને ખેડૂતોને હૂંફ મળે તેવી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. અંતમાં મહેશભાઈએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ખેડૂતોને વધુ નુકસાન થયેલ છે જેથી અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય મળવી જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે તો ચલાવી લેવામાં આવશે નહીં.

ખરેખર દરેક ખેડૂત દેશનો અન્નદાતા છે. જો આ મુશ્કેલીની ઘડીમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય ન મળે તો તેમની સ્થિતિ વધુ નાજુક બનશે. અને આપધાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. તેથી કોંગ્રેસનાં આગેવાને જગતના તાતને બાયો ચડાવી ન પડે તે પહેલા ટંકારા તાલુકાને તાત્કાલિક આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો વતી માંગણી કરેલ છે. અને જો સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News