ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી


SHARE













જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી

ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠા કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી કરવાની તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે અને તેની લેખિત રજૂઆત સાંસદ, મંત્રી તેમજ ધારાસભ્યોને મોકલવી આપેલ છે. 

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા દ્વારા હાલમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં અણધાર્યા માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું ચ એયને કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમાં જ સડી ગયા છે. ગત તા. 3/11/2025 ના રોજ ટંકારાના 45 ગામના ખેડૂતો, આગેવાનો અને સરપંચોને સાથે રાખીને આવેદનપત્ર મલતદારને આપવામાં આવ્યું હતું.

વ્કધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ટંકારા તાલુકા ખેડૂતોના પાકના નુકસાન બદલ સહાય પેકેજ આપવામાં આવે તે અન્ય તાલુકાની સરખામણીમાં ઓછું સહાય પેકેજ જાહેર થવાની શક્યતા છે જેથી કરીને ખેડૂતોની મશ્કરી સમાન સહાય ન આપીને ખેડૂતોને હૂંફ મળે તેવી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. અંતમાં મહેશભાઈએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ખેડૂતોને વધુ નુકસાન થયેલ છે જેથી અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય મળવી જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે તો ચલાવી લેવામાં આવશે નહીં.

ખરેખર દરેક ખેડૂત દેશનો અન્નદાતા છે. જો આ મુશ્કેલીની ઘડીમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય ન મળે તો તેમની સ્થિતિ વધુ નાજુક બનશે. અને આપધાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. તેથી કોંગ્રેસનાં આગેવાને જગતના તાતને બાયો ચડાવી ન પડે તે પહેલા ટંકારા તાલુકાને તાત્કાલિક આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો વતી માંગણી કરેલ છે. અને જો સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News