મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ


SHARE







મોરબી મહાપાલિકાના સિવિસેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ

મોરબી મહાનગરપાલિકાના સિવિસેન્ટરમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની સાથે કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર દ્વારા વારંવાર અપમાનજનક વર્તન કરવામાં આવતું હતું અને ખાસ કરીને અરજદરોની હાજરીમાં તેઓની સાથે ગેરવ્યાજબી વર્તન કરતા હતા જેથી ગુરુવારે સિવિક સેન્ટરના સાત કર્મચારીઓ દ્વારા પોતાના સામુહિક રીતે રાજીનામાં ધરી દેવામાં આવ્યા છે

મોરબી મહાનગરપાલિકાના સિવિ સેન્ટરમાં ફરજ બજાવતા કવિતાબેન ઉમેશભાઈ સોલંકી, જ્યોતિબેન બળદેવભાઈ મકવાણા, વર્ષાબેન બચુભાઈ પરમાર, હેમાંગી પ્રવીણભાઈ વીસાણી, નિરાલીબેન પ્રકાશગીરી ગોસ્વામી, સાગર હરેશભાઈ ભટ્ટ અને દર્શન ચમનભાઈ મીરાણી નામના સાત કર્મચારીઓ દ્વારા સામૂહિક રીતે પોતાના રાજીનામાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરને ધરી દેવામાં આવેલ છે અને તેઓએ આપેલ રાજીનામાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી સિવિ સેન્ટરના કર્મચારીઓ સાથે અધિકારીઓ દ્વારા અપમાનજનક વર્તન કરવામાં આવે છે અને અરજદારોની હાજરીમાં તેઓની સાથે ગેરવ્યાજબી વર્તન કરવામાં આવતું હતું જેથી હંગામી કર્મચારીઓએ અપમાનજનક વર્તન અને માનસિક ત્રાસ સહન કરવો પડતો હતો અને તેઓની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવે તો નિરાકરણ કરવામાં આવતું ન હતું અને તેઓને ફરજ પર રહેવું મુશ્કેલ બની જતું હતું જેથી સિવિલ સેન્ટરમાં ફરજ બજાવતા સાતેય કર્મચારીઓ દ્વારા સામુહિક રીતે પોતાના રાજીનામા ધરી દીધેલ છે.






Latest News