મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન


SHARE







મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન

મકનસર ખાતેના પાકિસ્તાની નાગરિકો માટે એલટીવી રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે ૧૫ ઓગસ્ટના રોજ ખાસ કેમ્પ યોજાશે.મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા અને લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા આપતો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ તા.૧૫ ઓગસ્ટ ને બપોરે ૩ કલાકે આ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં મકનસર વિસ્તારના એલટીવી વીઝા ધારક નાગરિકોના વીઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સીટીઝનશીપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે. સંબંધિત તમામ લોંગ ટર્મ વીઝા ધારકોને આ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય) એ યાદીમાં જણાવ્યું છે.

અધ્યયન મંડળ-મોરબી

અધ્યયન મંડળ અષાઢ સુદ ૩ દિનાંક ૧૫-૮ ને સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ શનિવારે રાત્રે ૯ વાગ્યે ૫૮ માં માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા નિલકંઠ વિદ્યાલય રવાપર રોડ ખાતે યોજાશે.આ કાર્યશાળામાં મૂળ મોરબીના અને હાલ ગાંધીનગર સ્થિત લેખક, વક્તા, રાજ્ય કક્ષાના શિક્ષક, તાલીમ તજજ્ઞ એવા પરેશભાઈ દલસાણિયા જેઓ 'નાગરિક કર્તવ્ય' વિષય ઉપર વક્તવ્ય આપશે.આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહો તેવી જાહેર અપીલ કરવામાં આવેલ છે.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા સાડા ચાર વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે.રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે.રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે.તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા સંયોજક ડો.જયેશ પનારા સહીત ટીમે અપિલ કરેલ છે.






Latest News