હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારાના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું


SHARE





















મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારાના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું

મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણાથી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ  ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.

વાંકાનેર કુવાડવા રોડ પર રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરાઈ

મોરબી જિલ્લાના મહત્વના વાંકાનેર-કુવાડવા રોડ પર માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા રીસર્ફેસિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ રોડનું નવીનીકરણ કરવામાં આવશે, જેથી વાહનચાલકોને સુરક્ષિત પ્રવાસનો લાભ મળી શકશે.










Latest News