મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ દીધો


SHARE





બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ દીધો

ટંકારાના મિતાણા ગામની ઘટના : તેજલબેન સાડમિયાએ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો

બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે. તેજલબેન સાડમિયાએ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.

બનાવની વિગત મુજબ, તેજલબેન શિયાભાઈ સાડમિયા (ઉંમર વર્ષ 17, રહે.મિતાણા ગામ, તાલુકો ટંકારા, જીલ્લો રાજકોટ) દસ દિવસ પહેલા પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ મંગલમ હોસ્પિટલમાં દાખલ હતી. જેની તબિયત લથડતા ગઈકાલે ફરીરાજકોટ સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. જેનું ગઈ સારવારમાં સાંજે 5.45 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.

પરિવારે જણાવ્યું કે, તેજલની સગાઈ થઈ ગઈ હતી. પણ તે બીજા યુવક સાથે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારે શોધખોળ કરતા તે નીકળી ગયા બાદ 5 દિવસ પછી મળી આવી હતી. જેથી તેને પરત ઘરે લાવ્યા હતા.અહીં ઘરે તેણે ઝેરી દવા પી લીધી હતી. તેજલ 5 બેન અને 1 ભાઈમાં વચેટ હતી. તેના પિતા હયાત નથી. માતા અને ભાઈ બહેન સાથે રહેતી. સગીરાના મોતથી પરિવારમાં. ગમગીની છવાઈ ગઈ હતી




Latest News