મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો


SHARE







મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો

મોરબીની સબજેલમાંથી આરોપીએ ત્રણ દિવસના વચ્ચગાળાના જામીન મેળવ્યા હતા ત્યાર બાદ આરોપી પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં 14 મહિનાથી ફરાર આરોપી હળવદ વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

સમગ્ર રાજયમાં પેરોલ ફર્લો જમ્પ આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું અને તે અંતર્ગત મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જુદાજુદા બે ગુનામાં મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામા આવેલ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા. ૨૮/૮/૨૪  ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન મેળવીને જેલમુક્ત થયો હતો જેને તા. ૧/૯/૨૪ ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ વચ્ચગાળાના જામીન પરથી તે ફરાર થયો હતો જે કેદીને બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News