મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો


SHARE













મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો

મોરબીની સબજેલમાંથી આરોપીએ ત્રણ દિવસના વચ્ચગાળાના જામીન મેળવ્યા હતા ત્યાર બાદ આરોપી પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં 14 મહિનાથી ફરાર આરોપી હળવદ વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

સમગ્ર રાજયમાં પેરોલ ફર્લો જમ્પ આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું અને તે અંતર્ગત મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જુદાજુદા બે ગુનામાં મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામા આવેલ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા. ૨૮/૮/૨૪  ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન મેળવીને જેલમુક્ત થયો હતો જેને તા. ૧/૯/૨૪ ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ વચ્ચગાળાના જામીન પરથી તે ફરાર થયો હતો જે કેદીને બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે.








Latest News