શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !


SHARE









મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !

મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં લાખો રૂપિયાના ખર્ચે મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, જાળવણી અને સંચાલનના અભાવે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી સામાજિક કાર્યકરોએ મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે વહેલી તકે શૌચાલય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ અને મેરુભાઈએ મુખ્યમંત્રી સુદ્ધિ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો પછી મોરબી નગરપાલિકાને મહિલા શૌચાલય બનાવેલ હતું જો કે, બે લાખના ખર્ચે બનેલ મહિલા શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે કયારે પણ ચાલ્યું નથી તો પણ જવાબદાર અધિકારી દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. અને આ મહિલા શૌચાલય આજની તારીખે બંધ પડ્યું છે. ત્યારે મહિલા શૌચાલય બનાવવાનું હતું ત્યારે ગાંધીનગર સુદ્ધિ રજૂઆત કરી હતી તેવી જ રીતે હવે તેને ચાલુ કરવા માટે પણ શું ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે તેવો સવાલ સામાજિક કાર્યકરોએ કરેલ છે.






Latest News