મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશમાં રહેતા શખ્સે ચોરી કરવા ઘરમાં ધૂસીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીકિને વૃધ્ધની કરી હત્યા


SHARE













મોરબીમાં પાડોશમાં રહેતા શખ્સે ચોરી કરવા ઘરમાં ધૂસીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીકિને વૃધ્ધની કરી હત્યા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડ ઘરે એકલા હતા ત્યારે ચોરી કરવા માટે તેના ઘરમાં તે જ સોસાયટીમાં રહેતો એક શખ્સ ચોરી કરવા માટે ઘૂસયો હતો અને ત્યારે ઘરમાં હાજર રહેલા આધેડને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી અને આધેડની હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા (૭૬) તેમના ઘરે એકલા હતા અને તેના પત્ની તેમજ દીકરો પ્રસંગમાં ગોવા ગયો હતો અને દિનેશભાઈ મહેતા ઘરે એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે માથા અને શરીરના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા જેથી પાડોશી તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને ગયા હતા જો કે, ડોકટરે  તેઓને મૃત જાહેર કર્યા હતા

હાલમાં મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદમા પાલડી પાસે આવેલ આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ તેના ઘરમાં ગયો હતો પરંતુ ઘરમાં કોઈ દરદાગીના રાખેલા ન હતા જેથી કરીને આરોપીએ માથાના ભાડે તિક્ષણ હથિયાર અને બોથડ હથિયાર પદાર્થના ત્રણ ઘા માર્યા હતા તેમજ ગાળા, આંગળી અને જમણા પગે પણ માર માર્યો હતો જેથી ફરિયાદીના પિતા દિનેશભાઇ મહેતાનું મોત નીપજયું હતું હાલમાં મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે હત્યાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News