મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ


SHARE





માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ

મોરબી જીલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી બાયપાસ રોડ બાનવનો છે અને તેમાં જશાપર ગામની ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનશે જેમાં ઘણા ખેડૂતોની જમીન કપાઈ રહી છે જેથી આ નવા બાયપાસનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે તેવામાં સોમવારે રસ્તાની માપણી માટે મામલતદાર સહિતની ટિમ ત્યાં સ્થળ ઉપર આવી હતી ત્યારે ગ્રામજનો દ્વારા કામનો વિરોધ કરવામાં આવ્યો હતો

માળીયા મિયાણા તાલુકાનાં જશાપર ગ્રામના લોકોએ આગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત તેઓના ગામના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે જેથી કરીને આ કામનો વિરોધ કર્યો હતો અને હાલમાં જે રોડ આવલો  છે તેનો જ ઉપયોગ કરીને કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેવામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નવા બની રહેલા બાયપાસની માપણી કરવા માટે આવેલા અધિકારીઓનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો અને ગ્રામજનોએ રસ્તો ચક્કાજામ કરી દીધો હતો અને ખાસ કરીને હાલમાં અધિકારીઓએ દ્વારા ખેડૂતોને કોઇપણ પ્રકારની નોટીસ વગર જ માપણીનું કામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને ખેડૂતોએ કામનો વિરોધ કર્યો હતો વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે, પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધીનો રોડ બનેલ છે તેમાં અગાઉ જમીન સંપાદિત થઇ હતી જેથી કરીને તે રસ્તાનો ઉપયોગ કરીને નવો બાયપાસ રોડ કાઢવામાં આવે તેવી માંગ કરી હતી જોકે, માળીયાના મામલતદારે ડેપ્યુટી કલેકટર પાસે જઈને ખેડૂતોને રજૂઆત માટે કહ્યું હતું અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.




Latest News