મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ


SHARE







મોરબી શહેર-જિલ્લા કોળી સેના દ્વારા બગદાણામાં બનેલ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીને આકરી સજા કરવાની માંગ

મહુવા તાલુકાના બગદાણા ખાતે રહેતા નવનીતભાઈ કોળી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજાઓ કરવામાં આવી છે જે હાલમાં સારવાર હેઠળ છે દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ઘટનામાં તટસ્થ તપાસ કરીને આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા અને શહેર કોળી સેનાના યુવા પ્રમુખ માધવભાઈ લખમણભાઇ પરેશા સહિતના આગેવાનોની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે, ગત તા. 29/12 ના રોજ નવનીતભાઈ કોળી ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને મારમારીને ગંભીર ઇજા કરવામાં આવેલ છે તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈ મુજબ તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી અને પોલીસના વલણથી કેસને હલકો પાડવાનો અને દિશાહીન કરવાનો પ્રયત્ન થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપીઓ હાલમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેથી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે જેથી કરીને હાલમાં આવેદન પત્ર આપીને ત્રણ માગણી કરવામાં આવી છે જેમાં આ કેસની સંપૂર્ણ નવી રીતે અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ હાથ ધરવી, હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કાનૂની કાર્યવાહી કરવી અને પીડિત નવનીતભાઈ કોળીને સુરક્ષા અને ન્યાયની ખાતરી આપી. જો આ ત્રણ માંગણીઓને ધ્યાને લઈને તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News