મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો

શહેરના સુવિખ્યાત અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં કાયમી અગ્રેસર એવા મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. અને કાર્યક્ર્મ માટે ડો.ભાલોડીયા, બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ અને બિપીનભાઈ જેવા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ શાકોત્સવમાં ૨૦૦ કિલો રીંગણાનું શાક, ૧૪૦ કિલો બાજરાના રોટલા, ૮૦ કિલો ખીચડી-કઢી ભંડારી ગોવિન્દ સ્વરૂપદાસજી સ્વામી અને નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવેલ જેનો ૧૫૦૦ ઉપરાંત ભક્તોએ લાભ લીધેલ હતો રાજકોટ ગુરુકુલ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી ઇત્યાદિ સંતોએ ભગવાનની કથાવાર્તાનો પણ લાભ આપેલ હતો






Latest News