હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો


SHARE













મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં યોજાયેલ શાકોત્સવનો ૧૫૦૦ હરિભક્તોએ લાભ લીધો

શહેરના સુવિખ્યાત અને શૈક્ષણિક, સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં કાયમી અગ્રેસર એવા મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન ગત રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. અને કાર્યક્ર્મ માટે ડો.ભાલોડીયા, બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ અને બિપીનભાઈ જેવા દાતાઓ તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ શાકોત્સવમાં ૨૦૦ કિલો રીંગણાનું શાક, ૧૪૦ કિલો બાજરાના રોટલા, ૮૦ કિલો ખીચડી-કઢી ભંડારી ગોવિન્દ સ્વરૂપદાસજી સ્વામી અને નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવેલ જેનો ૧૫૦૦ ઉપરાંત ભક્તોએ લાભ લીધેલ હતો રાજકોટ ગુરુકુલ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાનજીવનદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, નિર્ગુણજીવનદાસજી સ્વામી ઇત્યાદિ સંતોએ ભગવાનની કથાવાર્તાનો પણ લાભ આપેલ હતો






Latest News