મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર પાસે ૨૭ લાખની લૂંટ : કારમાં પત્થર ઝીકિ જીનીગ મિલના પાર્ટનરની કારને રોકી છરી-ધોકા વડે હુમલો કરનાર બેની શોધખોળ


SHARE











વાંકાનેરના ચંદ્રપુર પાસે ૨૭ લાખની લૂંટ : કારમાં પત્થર ઝીકિ જીનીગ મિલના પાર્ટનરની કારને રોકી છરી-ધોકા વડે હુમલો કરનાર બેની શોધખોળ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ચંદ્રપુર પાસેથી કારને રોકીને જીનના ભાગીદાર સહિત બે વ્યક્તિ ઉપર બે શખ્સો દ્વારા કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને છરી તેમજ ધોકા વડે માર મારીને  તેની પાસેથી ૨૭ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટ કરી નાસી છૂટેલા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ઇજાગ્રસ્ચ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે અને હાલમાં પોલીસે બનાવની ફરીયાદ લઇને ગુનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લાના વાંકાનર તાલુકામાં ચંદ્રપુર ગામ પાસે આવેલ વિકાસ કોન્ટેક્સ નામ ના કારખાના ભાગીદાર માથકિયા ઈસુબભાઈ રહીમભાઈ (૩૮) પોતાની કાર લઇને વાંકાનેર નજીકના ચંદ્રપુર પાસે આવેલા તેઓના કારખાનેથી પોતાના મહેતાજીને કારમાં સાથે બેસાડીને ઘર તરફ જવા માટે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવાના થઇ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કારમાં બેઠેલા માથુકિયા ઈસુબભાઈ નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ૨૭ લાખ રૂપિયાની રોકડ લૂંટીને બે શખ્સો નાસી છૂટયા છે જેથી કરીને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે અને લૂંટની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા બન્ને શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે.

હાલમાં વાંકાનેરની આશીયાના સોસાયટીઆ રહેતા યુસુફભાઈ રહીમભાઈ માથકીયા જાતે મોમીન (મુસ્લીમ) (ઉ.વ ૩૯)એ હાલમાં અજાણ્યા બે ઇસમો જેની ઉમર આશરે ૨૫ થી ૩૫ ની હશે તેવા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચંદ્રપુર મોમીનશાહ બાવાની દરગાહ સામે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ જતા કાચા રસ્તેથી તે તેઓના મહેતાજી અબ્દુલ અલાવદીભાઇ શેરસીયા સાથે જીનીંગેથી સ્વીફટ કાર નં. જી.જે.૦૩ ઇ.આર.૭૯૪૮ મા બેસી વાંકાનેર આવતા હતા ત્યારે કારખાના નજીક કાચા રસ્તે આરોપીઓએ પથ્થરનો ઘા કરતા ફરિયાદીની કારના ટાપ ઉપર પડતા તેણે કાર ઉભી રાખી હતી.

ત્યારે આરોપીઓ બાજુમા બંધ પડેલ જીનીગની વંડી ટપી કાર પાસે મોઢે બુકાની બાંધેલ હાલતમા આવ્યા હતા અને ઘોકો અને છરી લઈને આવેલા શ્ખ્સોએ કારણો કાચ ફોડયો હતો જેથી કાચ ઉડીને ફરિયાદીને મોઢાના ભાગે હોઠ પર લાગેલ તેમજ છરી વાળા ઇસમે તેના ગળા પર છરી રાખી કારની ચાવી કાઢી બહાર ફેકી દીધી હતી અને છરી ડોક પર મારી દઇ સામાન્ય ઇજા કરી ભય બતાવી કારમા પાછળની શીટમા રાખેલ બે થેલા જેમા એક થેલામા હીસાબના ચોપડા હતા બીજા થેલામા અલગ અલગ દરની ૨૭,૦૦,૦૦૦ ની રકમ હતી તે બન્ને થેલા લઇ આરોપીઓ બાઈકમાં નાશી ગયા છે જેથી પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આબે અજાણ્યા શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૯૪, ૩૩૭, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

 






Latest News