મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા


SHARE













મોરબીમાંથી 10 માહિનામાં 2,287 ઢોરને પકડીને ગૌશાળા-પાંજરાપોળમાં મુકાયા

મોરબીના લોકોને રજડતા ઢોરને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત છેલ્લા 10 માહિનામાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં ઢોરને મૂકવામાં આવેલ છે. તેવી માહિતી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છે.

મોરબી મહાપાલિકામાં રજડતા ધોરણે પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે દરમ્યાન માર્ચ 2025 થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી 2,287 ઢોરને પકડેલ છે. અને વિવિધ વિસ્તારમાંથી રખડતાં ઢોરને પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત ઢોર પકડ શાખા દ્વારા 181 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. અને 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવેલ છે આ ઉપરાંત 32 નાગરિકોના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. અને પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ મળીને 1360 પશુઓનું આરએફઆઈડી તથા ટેગિંગ કરવામાં આવ્યું છે. અને આરએફઆઈડી તથા ટેગિંગની કામગીરી આગામી સમયમાં યથાવત રહેશે.






Latest News