મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં તંત્ર દ્વારા દુકાનો પાસે કરવામાં આવેલ રોડની સાઈડના ઓટલા-છાપરા તોડી પાડ્યા


SHARE













હળવદમાં તંત્ર દ્વારા દુકાનો પાસે કરવામાં આવેલ રોડની સાઈડના ઓટલા-છાપરા તોડી પાડ્યા

હળવદમાં સરા ચોકડી સહિતના વિસ્તારમાં દુકાનો પાસે રોડની સાઈડમાં વેપારીઓ દ્વારા ઓટલા અને છાપરાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. અને ત્યારે કાચા-પાકા દબાણો તોડી નાખવામાં આવ્યા હતા અને રોડની આજુબાજુની જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી અને આવી જ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામા આવશે.

હળવદમાં રોડ સાઈડમાં કરવામાં આવેલ દબાણોને દૂર કરવા માટે મામલતદારની હાજરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સારા ચોકડી અને હાઇવે રોડ ઉપર બંને બાજુએ પોતાની દુકાન પાસે કરવામાં આવેલ ઓટલા અને છાપરા તોડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉલેખનીય છેકે, હળવદમાં રોડ સાઇડમાં દબાણ કરનારા 150 જેટલા વેપારીઓને અગાઉથી જ નોટીસ આપવામાં આવી હતી અને હવે દબાણો તોડવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ હતો.






Latest News