મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન
મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
SHARE
મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શિવમ હોસ્પિટલથી ઘૂંટું રોડ જતો રસ્તો નવો બનતો હોય તેનું કામ ચાલુ છે.પરંતુ કોન્ટ્રાકટરની બેદરકારી ઉપર ત્યાં આવેલ સોસાયટીવાસીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શિવમ હોસ્પિટલથી શરૂ થતે અને ઘુંટુ રોડ તરફ જતો રસ્તો બની રહ્યો છે.પણ ત્યાં આગળ ડાઇવર્ઝનનું બોર્ડ મુકેલ નથી.રસ્તો બને છે તેવું ત્યાં બોર્ડ ન હોવાથી લોકો ભૂલથી આ રસ્તા ઉપર અંદર વાહન લઇને આવી જાય છે અને પછી વાહન રોડ ઉપર પાથરેલ કપ્ચીમાં ફસાઈ જાય છે.તો આ બાબત માટે જવાબદાર કોણ ? આ જગ્યાએથી દરોજ બે હજાર લોકોની અવરજવર છે.તેમજ સોસાયટીમાં અંદર જવા માટે કોઈ રસ્તો આપેલ નથી.આમ કામ રામ ભરોસે ચાલતુ હોય અને કોઈ અનઇચ્છનીય દુર્ઘટના સર્જાઈ તો તેની જવાબદારી કોની રહેશે.? જો યોગ્ય નહીં કરવામાં આવે તો લોકોએ નાછુટકે સંલગ્ન તંત્રને રજુઆત કરવી પડશે તેવું હાલ જણાઇ રહ્યુ છે.









