મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ
મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ
પ્રજાસતાક પર્વ નિમિતે તિરંગાને સલામી અને ભારતમાતા પૂજનના કાર્યક્રમનું મોરબીના માણેકવાડા ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ બ્રિજરાજસિંહ જાડેજાના હસ્તે તિરંગાને આકાશમાં લહેરાવ્યો હતો અને ત્યાર બાદ માણેકવાડા પ્રાથમિક શાળાને આ વર્ષ 2025 નો સક્ષમ શાળાનો તાલુકા અને જિલ્લા સ્તરનો પુરસ્કાર શાળાના આચાર્ય જિતેન્દ્રભાઈ ભીમાણીને અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુમાર અને કન્યાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકાથી ધો. 8 સુધીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ અને શૈક્ષણિક કીટ આપીને સન્માનીત કરવામાં આવ્યું હતા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિધાર્થીઓને શીલ્ડ, શૈક્ષિણક સામગ્રી દાતા રતિભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપસરપંચ) દ્વારા આપવામાં આવી છે. આ કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ ગોપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.