મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદના વેગડમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય ખેતમજૂર રણજીત તડવીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રણજીત રાજુભાઈ તડવી (ઉંમર વર્ષ 35, રહે. વેગડવાવ ગામ, તાલુકો હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતે હાલ જ્યાં રહે છે ત્યાં હળવદના વેગડ ગામે શંકરભાઈ રાઠોડ ની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં મોટો હતો તેઓ મૂળ છુટા ઉદયપુરના ક્વાંટ પંથકના વતની હતા અહીં પરિવાર ખેત મજૂરી કરે છે. રણજીતએ કયા કારણોસર ઝેરી દવા પીધી તેની જાણકારી સ્પષ્ટ ન થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.




Latest News