મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ


SHARE









મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ

"સૌથી શ્રેષ્ઠ દાન એટલે અન્નદાન" આ સૂત્રને માત્ર દિવાલો પર લખવાને બદલે મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના હોદ્દેદારોએ તેને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. હંગર પ્રોજેક્ટ હેઠળ ચેરમેન સચિનભાઈ કોટેચા, સભ્ય આશ્લેષાબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. દર ગુરુવારે પીરસાય છે

પ્રેમનું ભોજન મોરબી  શહેરના જુદા-જુદા શ્રમજીવી વિસ્તારોમાં દર ગુરુવારે આ ટીમ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવે છે. સચિનભાઈના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે આશરે ૧૦૦થી વધુ લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે. આ ભોજન માત્ર પેટ ભરવા પૂરતું નથી, પરંતુ તેમાં કેરીનો રસ, ગુલાબજાંબુ, પૂરી-શાક, છાશ અને ફરસાણ જેવી વાનગીઓ પીરસીને વંચિતોને પણ ઉત્સવ જેવો આનંદ આપવામાં આવે છે.

રોકડને બદલે અન્નદાન: એક જાગૃતિ અભિયાન સચિનભાઈ કોટેચા સમાજને એક નવો અને સકારાત્મક રાહ ચીંધી રહ્યા છે. તેમનું માનવું છે કે કોઈને રોકડ દાન આપવાથી તેનો ગેરઉપયોગ થવાની સંભાવના રહે છે. ભીખમાં મળતા રોકડા રૂપિયાને કારણે ઘણીવાર ભિખારીઓનું નેટવર્ક ઊભું થાય છે, જેમાં માસૂમ બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવવા જેવા સામાજિક દૂષણો જન્મે છે. રોકડ આપવાને બદલે જો ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે, તો તે સાચું દાન છે.

બીમાર અને લાચાર લોકો માટે આશીર્વાદઆ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શહેરમાં કોઈ પણ લાચાર કે બીમાર વ્યક્તિ ભૂખ્યા ન સૂવે. પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને, જાતે રસોઈ બનાવીને ગરીબો સુધી પહોંચવાની આ કોટેચા પરિવારની ભાવના ખરેખર વંદનીય છે.આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પાસે એકબીજા માટે સમય નથી, ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની આ ટીમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ કાર્ય જોઈને અન્ય લોકો પણ પ્રેરાય અને સમાજમાં દાનનો સાચો મહિમા સમજાય તે અત્યંત જરૂરી છે.






Latest News