મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ મોરબીના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના મીટર બોક્સ પાસે આગ: ધડાકા થતા લોકોમાં ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ


SHARE













મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ

"સૌથી શ્રેષ્ઠ દાન એટલે અન્નદાન" આ સૂત્રને માત્ર દિવાલો પર લખવાને બદલે મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના હોદ્દેદારોએ તેને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું છે. હંગર પ્રોજેક્ટ હેઠળ ચેરમેન સચિનભાઈ કોટેચા, સભ્ય આશ્લેષાબેન કોટેચા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. દર ગુરુવારે પીરસાય છે

પ્રેમનું ભોજન મોરબી  શહેરના જુદા-જુદા શ્રમજીવી વિસ્તારોમાં દર ગુરુવારે આ ટીમ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવે છે. સચિનભાઈના જણાવ્યા અનુસાર, દર અઠવાડિયે આશરે ૧૦૦થી વધુ લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે. આ ભોજન માત્ર પેટ ભરવા પૂરતું નથી, પરંતુ તેમાં કેરીનો રસ, ગુલાબજાંબુ, પૂરી-શાક, છાશ અને ફરસાણ જેવી વાનગીઓ પીરસીને વંચિતોને પણ ઉત્સવ જેવો આનંદ આપવામાં આવે છે.

રોકડને બદલે અન્નદાન: એક જાગૃતિ અભિયાન સચિનભાઈ કોટેચા સમાજને એક નવો અને સકારાત્મક રાહ ચીંધી રહ્યા છે. તેમનું માનવું છે કે કોઈને રોકડ દાન આપવાથી તેનો ગેરઉપયોગ થવાની સંભાવના રહે છે. ભીખમાં મળતા રોકડા રૂપિયાને કારણે ઘણીવાર ભિખારીઓનું નેટવર્ક ઊભું થાય છે, જેમાં માસૂમ બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવવા જેવા સામાજિક દૂષણો જન્મે છે. રોકડ આપવાને બદલે જો ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે, તો તે સાચું દાન છે.

બીમાર અને લાચાર લોકો માટે આશીર્વાદઆ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શહેરમાં કોઈ પણ લાચાર કે બીમાર વ્યક્તિ ભૂખ્યા ન સૂવે. પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને, જાતે રસોઈ બનાવીને ગરીબો સુધી પહોંચવાની આ કોટેચા પરિવારની ભાવના ખરેખર વંદનીય છે.આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પાસે એકબીજા માટે સમય નથી, ત્યારે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગની આ ટીમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ કાર્ય જોઈને અન્ય લોકો પણ પ્રેરાય અને સમાજમાં દાનનો સાચો મહિમા સમજાય તે અત્યંત જરૂરી છે.






Latest News