મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ
SHARE
મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં યોગસુર ટ્રેડર્સ એલએલપી એ ચૌધરી ટ્રેડર્સને વેચેલા માલ પેટેની લેણી રકમ રૂ.૩,૨૪,૮૮૨ નો દાવો યોગસુર ટ્રેડર્સના વકિલ નીતિન બી.પાડલીયા મારફત નામદાર દિવાની અદાલત મોરબીમાં દાખલ કરવામાં આવેલો હતો.જે મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પી.પી.શાહ સાહેબની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ નીતિન બી.પાડલીયાની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ધ્યાને લઈ પ્રતિવાદી ચૌધરી ટ્રેડર્સએ વાદી યોગસુર ટ્રેડર્સને લેણી રકમ રૂા.૩,૨૪,૮૮૨ સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરેલ છે









