મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ


SHARE







મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ

પુ. ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર મોરબીના ઉપક્રમે શાસન સૈનિક શિબિરમાં આઠ વર્ષથી ઉપરના ૮૭ વિદ્યાર્થીઓને ૩ દિવસની શિબિરમાં પ્રથમ દિવસે પુ. શ્રી વર્ધમાન સ્વામીએ જ્ઞાનના વિષયમાં જૈન તત્વ દર્શન સાથે કર્મ, ભક્તિ, બલિદાન અને જ્ઞાનની આશાતનાથી બચીને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને ઉપાસના દ્વારા બુદ્ધિવર્ધક ઉપાયોની ધારણા કરવા પ્રેરણા કરી હતી અને પુ. સતીજીઓએ પણ જ્ઞાન-ગમ્મત સાથે ધર્મબોધ આપ્યો હતો

પ્રારંભમાં નિશાબેન પટેલે શાસનગીત સાથે જૈન ધર્મ ધ્વજ ફરકાવીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો ત્રણ કલાકના સત્ર બાદ દરેક બાળકોને ગૌતમ પ્રસાદ કરાવવામાં આવેલ ત્રણેય દિવસ માટેનો આ લાભ માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી અને માતૃશ્રી ગીતાબેન ગુણવંતભાઈ સંઘવી પરિવારે લીધો છે તો પ્રથમ દિવસની પ્રભાવનાનો લાભ માતૃશ્રી મલ્લિકા પ્રફુલભાઈ મહેતા, અને માતૃશ્રી ઉષાબેન કાંતિલાલ મહેતા મોર્બીએ લીધો હતો.સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, આદિ પદાધિકારીઓએ વિશેષ રીતે ધર્મ પ્રભાવના કરીને આગામી પેઢીને જૈન ધર્મના વારસાનું ગૌરવ વધારવા તમામ પ્રકારની સહાય કરવા ગુરૂદેવોને વિનંતી કરી છેૐ






Latest News