આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે


SHARE













મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે

 

સમગ્ર મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન  એવા મોરબી ના નવલખી રોડ પર  રેલ્વે સ્ટેશન ની બાજુમા આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજીત  નવમો સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન નું આયોજન તા 27 / 4 / 2026 સોમવારે  બહુચર પાર્ટી પ્લોટ. રોકડીયા હનુમાન મંદિર બાજુમા નવલખી રોડ મોરબી ખાતે કરાયું છે.

આ સમુહ લગ્ન મા સર્વ જ્ઞાતિ ની 21 દિકરીઓ પ્રભુતા માં પગલા માંડશે.દિકરીઓ ને કરીયાવર માં શ્રી ધક્કાવાળી મંદિર અને  દાતા ઓના સહયોગથી  સોના -ચાંદીના દાગીના સહિત 100 થી વધુ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુ ઓ ભેટ આપવામા આવશે આ સમુહ લગ્ન ની વિધી આચાર્ય. શાસ્ત્રી મુકેશભાઈ જોષી  કરાવશે સમુહ લગ્ન મા સંતો મહંતો ના આશીર્વચન સાંજે 7 વાગે  હસ્ત મેળાપ સાંજે  7 / 45  કલાકે તેમજ મહાપ્રસાદ સાંજે 7 વાગે આ સમુહ મા સંતો મહંતો, રાજકીય.સામાજીક.શહેર અગ્રણીઓ.વિવિધ સમાજ ને સંગઠનો. સંસ્થાઓ ના આગેવાનો. રેલવે અધિકારીઓ મહીલા સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્ન ને સફળ આયોજન મા મંદિર ના ટ્રસ્ટી ઓ સેવાભાવી ભક્તો સેવાભાવી મહીલા સંસ્થાઓ સહયોગ આપી રહ્યા છે ઉલ્લેખનિય છે કે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ આવતુ દાન મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માં વપરાય છે જેમા દર વર્ષ એ સમુહ લગ્ન.નવરાત્રી મહોત્સવ.સાર્વજનિક દવાખાનુ ગાયો ને ઘાસ ચારો શહેર ની વિવિધ સરકારી સ્કૂલો માં વિધાર્થીઓને ચોપડા નોટબુક વિના મૂલ્યે વિતરણ સહીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરી ભકતોએ આપેલ દાન યોગ્ય જગ્યા એ વપરાય છે.






Latest News