મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ હતા અને ત્યાં ઇલેક્ટ્રીક મોટરના વાયરીંગનું કામકાજ કરતા હતા.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગેલ હોવાથી ઘટના સ્થળે તેમનું મોત થતા ડેડબોડી અત્રે સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના રાતાભેર ગામે રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન તા.૨૫-૪ ના સવારે નવેક વાગ્યે તેઓની વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું વાયરીંગનું કામકાજ કરતો હતો.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેમનું મોત નિપજત્તા ડેડબોડીને અહીંની સિવિલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના ધૃવરાજસિંહ ઝાલા દ્વારા પહોંચીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ હળવદ પંથકનો હોવાથી આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.
વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રભુભાઈ હડીયલ નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યો હોય સાગર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અબેદાબેન યુસુફભાઈ મકરાણી નામની ૨૫ વર્ષની મહિલાને નવલખી રોડ ધકકાવારી મેલડી મંદિર નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હુરબાઇ ગફુરભાઈ સુલેમાનભાઈ નામના ૭૦ વર્ષના વૃદ્ધાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે ઇન્દિરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ લાભુભાઈ માનેવાડીયા નામના ૪૫ વર્ષના યુવાનને કોઈ સાથે ઝઘડો થયો હોય મારામારીમાં મુઢ ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સંજયભાઈ રાઠોડ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News