મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE







મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ધ્વારા ત્રણ આરોપીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૩૨૫, ૧૧૪ હેઠળનો ગુનો નોંધી નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. સદરહું કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં ત્રણેય આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી ભારતીબેન મહેશભાઈ કગથરા, પ્રવીણભાઈ વીઠઠ્ઠલભાઈ કગથરા તેમજ અશ્વીનભાઈ નવધણભાઈ કગથરા વતી વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા. સદરહું કેસમાં આરોપીઓના વકીલ મીત રાજસિંહ કે.જાડેજા દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો ૨જૂ કરી પોતાનો બચાવ યોગ્ય રીતે સાબીત કરતાં મોરબીની ચીફ કોર્ટ ધ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, સુરેશ આર. વાઘાણી, આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં.






Latest News