મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ
SHARE
મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ
મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ધ્વારા ત્રણ આરોપીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૩૨૫, ૧૧૪ હેઠળનો ગુનો નોંધી નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. સદરહું કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં ત્રણેય આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.
જેમાં આરોપી ભારતીબેન મહેશભાઈ કગથરા, પ્રવીણભાઈ વીઠઠ્ઠલભાઈ કગથરા તેમજ અશ્વીનભાઈ નવધણભાઈ કગથરા વતી વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા. સદરહું કેસમાં આરોપીઓના વકીલ મીત રાજસિંહ કે.જાડેજા દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો ૨જૂ કરી પોતાનો બચાવ યોગ્ય રીતે સાબીત કરતાં મોરબીની ચીફ કોર્ટ ધ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, સુરેશ આર. વાઘાણી, આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં.









