મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી મોરબીમાં રહેતા પરિવારના સગીર બાળકનું અપહરણ: તપાસ શરૂ વાંકાનેર નજીક આવેલ કારખાનની લેબર કોલોનીના કવાર્ટર પાસે બાળકોને કુદરતી હાજતે બેસાડવાની ના કહેતી મહિલાને દંપતી સહિત 6 લોકોએ માર માર્યો વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE













મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૨૦૨૦ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ધ્વારા ત્રણ આરોપીઓ વિરુધ્ધ કલમ ૩૨૩, ૩૨૫, ૧૧૪ હેઠળનો ગુનો નોંધી નામદાર ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ. સદરહું કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં ત્રણેય આરોપીઓને નામદાર ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી ભારતીબેન મહેશભાઈ કગથરા, પ્રવીણભાઈ વીઠઠ્ઠલભાઈ કગથરા તેમજ અશ્વીનભાઈ નવધણભાઈ કગથરા વતી વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા. સદરહું કેસમાં આરોપીઓના વકીલ મીત રાજસિંહ કે.જાડેજા દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો ૨જૂ કરી પોતાનો બચાવ યોગ્ય રીતે સાબીત કરતાં મોરબીની ચીફ કોર્ટ ધ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપીઓ તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, સુરેશ આર. વાઘાણી, આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં.






Latest News