મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

ભારે ખેચતાણ: મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ કરી દાવેદારી: ડેપ્યુટી મેયરમાં 4 સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 આગેવાનો મેદાનમાં


SHARE













ભારે ખેચતાણ: મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ કરી દાવેદારી: ડેપ્યુટી મેયરમાં 4 સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 આગેવાનો મેદાનમાં

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદેદારોની નિમણૂક કરવા માટે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની 10 પૈકીની 8 સંસ્થાઓ મેયર અને પ્રમુખ સહિતના વિવિધ હોદાઓ માટે આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને જુદીજુદી સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 379 જેટલા આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી

મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને અને ત્રણ નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનામત છે અને તે અનામત બેઠક ઉપર ભાજપમાંથી જે ઉમેદવાર હતા તે હારી ગયા છે અને કોંગ્રેસના ઉમેદવારનો ત્યાં વિજય થયો હતો જેથી આ પંચાયતને કઈ રીતે કબજે કરવી તેના માટેની ભાજપમાં મથામણ ચાલી રહી છે અને વાંકાનેર તાલુકા પંચાયત તથા માળીયા નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે જેથી કરીને આ ત્રણ સંસ્થાઓ સિવાયની બાકીની સાત સંસ્થાઓમાં વિવિધ હોદ્દા ઉપર ચૂંટાયેલા સભ્યોમાંથી હોદ્દેદારને પસંદ કરવા માટે થઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ ભાજપમાંથી સેન્સ લેવા માટે ગાંધીનગરના પૂર્વ પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી જયશ્રીબેન દેસાઈને મોકલવામાં આવ્યા હતા અને તેમના દ્વારા તાલુકા પંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાયના હોદાઓ માટે કુલ મળીને 379 જેટલા આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6, ડેપ્યુટી મેયર પદ માટે 5 અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 4 જેટલા આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 52-52 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે અને હાલમાં મેયર પદ ઓબીસી અનામતનું હોવાથી સતવારા સમાજ તથા આહીર સમાજ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. 






Latest News