મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો


SHARE







મોરબીમાં માતા સાથે ઝઘડો કરતાં પુત્રને છોડાવવા ગયેલ પાડોશી યુવાનને પેટમાં છરીનો ઘા ઝીકિ દીધો

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા માતા-પુત્ર વચ્ચે ઝઘડો ચાલુ હતો ત્યારે ત્યાં પાડોશમાં રહેતો યુવાને તે બંનેને છોડાવવા માટે ગયો હતો ત્યારે માતાની સાથે માથાકૂટ કરી રહેલા શખ્સે યુવાનને પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા સલીમભાઈ દાઉદભાઈ સમા (48) નામના યુવાનને તે વિસ્તારમાં રહેતા શહેઝાદ ઈકબાલભાઈ નામના સકસે પેટના ભાગે છરી મારી દીધી હતી જેથી ઇજા પામેલા સલિમભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રજીયાબેન પલેજા (50) નામના મહિલાને પણ ઇજા થઈ હોવાથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા. વધુમાં ઇજાગ્રસ્ત સલીમભાઈના દીકરા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રજીયાબેન તેઓના ઘરની સામેના ભાગમાં રહે છે અને તેમનો દીકરો શહેઝાદ ઈકબાલભાઈ તેની સાથે માથાકૂટ કરતો હતો જેથી સલીમભાઈ ત્યાં તે બંનેને છોડાવવા માટે થઈને ગયા હતા. દરમ્યાન શહેઝાદે તેના હાથમાં રહેલ છરી સલીમભાઈને પેટના ભાગે મારી દીધી હતી જેથી તેઓને ઈજા થઈ હતી. હાલમાં આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં લેતા લીલાબેન નટુભાઈ સોલંકી (76) નામના વૃદ્ધાને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News