ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો


SHARE













હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામે નદીના કાંઠા પાસેથી કોહવાઈ ગયેલી હાલતમાં એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી જે બનાવની તપાસ દરમ્યાન મૃતક બાળકને તેના પિતા જ બાવળની જાળીમાં મૂકીને નાશી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક બાળકના પિતાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં નદીના કાંઠે બાવળની જાળીમાંથી થોડા દિવસો પહેલા કોહવાઈ ગયેલ હાલતમાં એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક બાળકના મૃતદેને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વરસને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી તેવામાં હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.બી.મિશ્રાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા (24) રહે. હાલ રાયસંગપર ગામની સીમમાં હમીરભાઇની વાડીએ તાલુકો હળવદ મૂળ રહે. દાહોદ વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં પી.એસ.આઇ. એ.બી.મિશ્રા પાસેથી મળી માહિતી મુજબ મૃતક બાળકનું નામ નવશિક (1) હોવાનું સામે આવ્યું છે અને આરોપીએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કરલે છે અને તેની ત્રીજી પત્ની રંગાબેન થકી તેને સંતાન થયું હતું જો કે, ત્યાર બાદ રંગાબેનને છોડી દીધા હતા જો કે, બાળકને પોતાની પાસે રાખ્યું હતું અને તેણે ચોથા લગ્ન કર્યા હતા અને બાળકની દેખરેખ અને સાર સંભાળ બાબતે બાબતે વચ્ચે બોલાચાલી થતી હતી જેથી કરીને આરોપી ભયલુ ઉર્ફે રાજુ તેના એક વર્ષના દીકરાને નદીના કાંઠે બાવળની જાળીમાં ત્યજી આવ્યો હતો અને ત્યાર ભૂખ તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે માસૂમ બાળકે રિબાઈ રિબાઈને પોતાનો જીવ દીધો હતો જેથી પોલીસે નરાધમ બાપને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News