મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો


SHARE











હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામે નદીના કાંઠા પાસેથી કોહવાઈ ગયેલી હાલતમાં એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી જે બનાવની તપાસ દરમ્યાન મૃતક બાળકને તેના પિતા જ બાવળની જાળીમાં મૂકીને નાશી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક બાળકના પિતાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં નદીના કાંઠે બાવળની જાળીમાંથી થોડા દિવસો પહેલા કોહવાઈ ગયેલ હાલતમાં એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક બાળકના મૃતદેને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વરસને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી તેવામાં હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.બી.મિશ્રાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા (24) રહે. હાલ રાયસંગપર ગામની સીમમાં હમીરભાઇની વાડીએ તાલુકો હળવદ મૂળ રહે. દાહોદ વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં પી.એસ.આઇ. એ.બી.મિશ્રા પાસેથી મળી માહિતી મુજબ મૃતક બાળકનું નામ નવશિક (1) હોવાનું સામે આવ્યું છે અને આરોપીએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કરલે છે અને તેની ત્રીજી પત્ની રંગાબેન થકી તેને સંતાન થયું હતું જો કે, ત્યાર બાદ રંગાબેનને છોડી દીધા હતા જો કે, બાળકને પોતાની પાસે રાખ્યું હતું અને તેણે ચોથા લગ્ન કર્યા હતા અને બાળકની દેખરેખ અને સાર સંભાળ બાબતે બાબતે વચ્ચે બોલાચાલી થતી હતી જેથી કરીને આરોપી ભયલુ ઉર્ફે રાજુ તેના એક વર્ષના દીકરાને નદીના કાંઠે બાવળની જાળીમાં ત્યજી આવ્યો હતો અને ત્યાર ભૂખ તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે માસૂમ બાળકે રિબાઈ રિબાઈને પોતાનો જીવ દીધો હતો જેથી પોલીસે નરાધમ બાપને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News