હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !


SHARE











મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !

મોરબીમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી યુવતીએ કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતી યુવતીને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા તે યુવતીએ ખડ બાળવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં રહેતા મનીષભાઈ ભીખુભાઈ રેણુકાની 20 વર્ષની દીકરી પલવીબેને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા અરવિંદભાઈ ઘોઘાભાઈ બાવળીયાની 18 વર્ષની દીકરી ટમુબેનને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું અને તે બાબતે તેને મનોમન લાગી આવતા ટમુબેને પોતાની જાતે ખડ બાળવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News