ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા


SHARE













મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા

મોરબીના શનાળા રોડ પર આવેલ જુદી જુદી સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને એક બે નહીં પરંતુ 20 થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને રજડતા કૂતરા અવાર નવાર લોકોને બચકા ભરતા હોય મહાપાલિકાની ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે

મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ અને આસપાસની સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવી દીધો હતો અને રસ્તા ઉપરથી પસાર થતાં બાળકોમહિલાયુવાનવૃદ્ધો વગેરેને નિશાન બનાવ્યા હતા અને તેઓને શરીરે બચકા ભરી લીધા હતા જેથી ઈજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારની અંદર રજડતા કુતરા લોકોને બચકા ભરી લેતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા રજડતા કૂતરાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ લાગણી વ્યક્ત કરેલ છે






Latest News