મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ


SHARE













ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદમાં પણ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગેનીબેન ઠાકોરની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસનાં સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનોએ પણ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. અને જગદીશ વિશ્વકર્મા હાય-હાય સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અને આ તકે આગેવાનોએ કહ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે અને બીજી બાજુ તેમના નેતાઓ નારીનું જાહેરમાં અપમાન કરી રહ્યા છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે અત્યંત અપમાનજનક હતી જેથી ગેનીબેનની માફી માંગવી જોઈએ અને જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીઆવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હલવાદમાં ઠાકોર સમાજના આગેવનો તેમજ કોંગ્રેસનાં હોદેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે દારા કુલ મળીને 11 જેટલા પ્રદર્શનકારીઓને ડિટેકરવામાં આવ્યા હતા.






Latest News