મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી ચક્કાજામ ખોલવા પોલીસે કર્યો બળપ્રયોગ
Breaking news
Morbi Today

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ


SHARE











ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદમાં પણ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગેનીબેન ઠાકોરની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસનાં સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનોએ પણ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. અને જગદીશ વિશ્વકર્મા હાય-હાય સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અને આ તકે આગેવાનોએ કહ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે અને બીજી બાજુ તેમના નેતાઓ નારીનું જાહેરમાં અપમાન કરી રહ્યા છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે અત્યંત અપમાનજનક હતી જેથી ગેનીબેનની માફી માંગવી જોઈએ અને જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીઆવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હલવાદમાં ઠાકોર સમાજના આગેવનો તેમજ કોંગ્રેસનાં હોદેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે દારા કુલ મળીને 11 જેટલા પ્રદર્શનકારીઓને ડિટેકરવામાં આવ્યા હતા.






Latest News