મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ


SHARE











ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ચૂંટણી સમયે કોંગ્રેસનાં મહિલા સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદમાં પણ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા ગેનીબેન ઠાકોરની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસનાં સાંસદ વિષે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ સરકાર તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે વિરુદ્ધ વ્યક્ત કર્યો હતો ત્યારે કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનોએ પણ સમાજના લોકોને ટેકો આપ્યો હતો. અને જગદીશ વિશ્વકર્મા હાય-હાય સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અને આ તકે આગેવાનોએ કહ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારીશક્તિ અને સશક્તિકરણની વાતો કરીને મત માંગે છે અને બીજી બાજુ તેમના નેતાઓ નારીનું જાહેરમાં અપમાન કરી રહ્યા છે. અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી હતી તે અત્યંત અપમાનજનક હતી જેથી ગેનીબેનની માફી માંગવી જોઈએ અને જો ભાજપના પ્રદેશ પ્રમુખ માફી નહીં માંગે તો આગામી સમયમાં કલેક્ટર કચેરીઆવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને હલવાદમાં ઠાકોર સમાજના આગેવનો તેમજ કોંગ્રેસનાં હોદેદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે દારા કુલ મળીને 11 જેટલા પ્રદર્શનકારીઓને ડિટેકરવામાં આવ્યા હતા.






Latest News