હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ


SHARE











માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અને મોરબી માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા ૨૩ વર્ષની વયે કાર અકસ્માતનો ભોગ બનેલા છે. તેમની સ્મૃતિમાં માનવતાના અનેક કાર્યો જેવા કે રક્તદાન કેમ્પ, જુદા - જુદા નિષ્ણાંત ડૉક્ટરોના મેડિકલ કેમ્પ, મંદબુધ્ધિના બાળકોને તેમજ વૃદ્ધાશ્રમોમાં જરૂરી સહાય, રમત ગમ્મત ક્ષેત્રે ક્રિકેટ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ વિગેરે કાર્યો થકી ડૉ. પ્રશાંતની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તેવા પ્રયાસ તેમના લઘુબંધુ સન્ની બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમાં એક વધુ સીમાચિન્હ રૂપી કાર્ય તેમના વતન માળીયા (મીં) તાલુકાના ચમનપર ગામે ગામનો જાજરમાન પ્રવેશદ્વાર ડૉ. પ્રશાંતની સ્મૃતિમાં નિર્માણ કરવામાં આવ્યો છે. આ ડૉ. પ્રશાંત બ્રિજેશ મેરજા પ્રવેશદ્વાર ચમનપરનો લોકાર્પણ કાર્યક્રમ તદ્દન સાદગીપૂર્ણ રીતે ગામના ડિસેબલ (મંદબુદ્ધિ) યુવાન એવા ગામના સપૂત હકો (નરેન્દ્ર) ના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રશાંત બાળપણમાં તેમના પિતૃભૂમિ ગામ એવા ચમનપર ખાતે અભ્યાસના વેકેશન દરમિયાન અને પ્રસંગોપાત ચમનપર સાથેનો આત્મીય લગાવ ધારાવતો હતો. આમ, ચમનપરના ગોંદરે તેમના બચપણની સ્મૃતિઓને ચમનપર ગામના પ્રવેશદ્વાર સાથે જોડીને મેરજા પરિવારે અને ગ્રામજનોએ ડૉ. પ્રશાંત મેરજાનું એક આગવું યાદગાર સંભારણું ગેટ બનાવીને નિર્માણ કરી અન્યને પ્રેરણા આપી છે. આ સાદગીભર્યા લોકાર્પણ પ્રસંગમાં સ્થાનિક ગ્રામજનો, સરપંચ અને મેરજા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.






Latest News