મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ


SHARE







મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

 

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પરિવારની દીકરી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જે બાબતે નોંધાયેલ ફરિયાદમાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા હાઇવે ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા પરિવારની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ નોંધાવવા પામી હતી.જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી. જાડેજા તથા સ્ટાફ દ્વારા ગણતરીની કલાકોમાં ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ જીતેશ ઉર્ફે નિતેશ અજીતભાઈ ચાડમિયા દેવીપુજક (૨૦) હાલ રહે.દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ મોરબી મૂળ રહે.ખરેડા તા.કોટડા સાંગાણી જી.રાજકોટની ધરપકડ કરી હતી.અને તેને કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા હાઇવે ઉપર માળિયા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે ટ્રક અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સેતાનભાઈ નવરસિંગ રબારી (૨૫) રહે.ચિત્તોડગઢ રાજસ્થાનને ઈજા થયેલ હોય તેને માળિયા હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિડયાણા હાઇવે પીપળીયા ચોકડી નજીક રહેતા આકાશ મથુરાપ્રસાદ યાદવ નામના ૨૨ વર્ષના યુવાનને રાત્રિના નવલખી બ્રિજ ખાતે પગના ભાગે સાપ કરડી જતા તેને પણ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ તાલુકાના કડીયાણા ગામે સીમ વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરીવારની સેજલબેન અરવિંદભાઈ તડવી નામની ૨૮ વર્ષીય યુવતી બાટાલીન નામની દવા પી ગયેલ હોવાથી ચરાડવા પીએચસી ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસે જણાવે છે.

મારામારીમાં ઈજા

હળવદના મંગળપુર ગામે રહેતા રમેશભાઈ ખીમજીભાઈ નગવાડીયા નામના ૩૮ વર્ષના યુવાનને ખીમાભાઈ સવજીભાઈની વાડીએ મંગળપુર મુકામે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના મંગળપુર ગામે થયેલ મારામારીના બનવામાં ઈજા પામેલ વિનોદભાઇ ભવાનભાઇ નગવાડીયા (૪૬) નામના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે નાડધ્રા ગામે રહેતા મહેન્દ્રભાઈ ચંદુભાઈ ચાવડા નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઘાસમાં છાંટવાની દવા પી ગયો હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે






Latest News