મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
SHARE
મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત, છાપરા ઉપર નાલી સાફ કરવા ચડેલ છાપરું તૂટી જાતનો બનાવ : પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ
મોરબી તાલુકાના રંગપર બેલા ગામમાં કામ કરવા આવેલ 21 વર્ષના યુવકનું પડી જતા મોત મોરબીની કે જી એલ કંપની માં છાપરા ઉપર નાલી સાફ કરવા જડેલ છાપરું તૂટી જાત માથાના ભાગે ઈજા થતા મોત નિપજ્યું.
પ્રાથમિક વિગત મુજબ મોરબી તાલુકામાં રફાળેશ્ર્વર ગામમાં રહેતાં કાનજી વિક્રમભાઈ પરમાર (ઉંમર.21) મૂળ જામકંડોળાનો રહેવાસી હાલ મોરબી બે મેના પેલા આવેલ કાનજી કે જી એલ કંપનીમાં કામ કરવા આશરે 20 ફૂટની ઊંચાય ઉપર છાપરાની નાલી સાફ કરવા ચડેલ હતો. જ્યાં છાપરું તૂટી જતા નીચે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.જ્યાં સારવાર માટે સમર્થન હોસ્પિટલ બાદ આયુષ્માન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમની તબિયત ખરાબ થતા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતો જ્યાં ટૂંકી સારવારમાં કાનજીનું મોત નિપજ્યું છે. વધુ વિગત અનુસાર કાનજી બે ભાઈ અને એક બેનમાં બધાથી નાનો હતો. ભાઈ અને પિતાની મદદ કરવા આવેલ કાનજીનું કરુણ મોત થયું પિતા અને ભાઈ મજુરી કામ કરે છે. કાનજી હજુ અપરણિત હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવીને કાનૂની કાર્યવાહી કરી હતી