મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરવા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે સવારે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈને શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉતમભાઈ સુરાણી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઇ વસાદડીયા, મોરબી શહેર ભાજપના નૈમિષભાઈ પંડિત, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, કલેક્ટર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશ પટેલ, પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓ તેમજ રિશિપભાઇ કૈલા, મેઘરાજસિંહ ઝાલા, મનુભાઈ સારેસા સહિતના રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સહિતના જોડાયા હતા. ઉલેખનીય છે કે, આ વર્ષે તિરંગા યાત્રા "વંદે માતરમ્ @૧૫૦" ની વિશેષ થીમ હેઠળ યોજાઈ રહી છે. આ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તથા સમગ્ર જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આજે મોરબીમાં જિલ્લા કક્ષાની મુખ્ય તિરંગા યાત્રા શહેરના માર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.









