મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત


SHARE





માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત

માળિયા મિયાણા વિસ્તારમાં ધો. ૯ માં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૧૯ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓમાં ચિંતા છે ત્યારે માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલા લેવા માટે રજૂઆત કરી છે અને શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

માળિયા મિયાણા શહેરમાં આવેલી શ્રી જોશી હાઈસ્કૂલ અને નજીકની શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલમાં ધોરણ-૯ ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પહેલેથી જ મર્યાદા કરતા વધુ હોવાથી ૧૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિના કારણે આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ બને અને તેમનું શિક્ષણ છૂટી જાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થયેલ છે જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ સંધવાણીએ વાલીઓ વતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં પ્રત્યુતરમાં ડી.ઈ.ઓ. કચેરી તરફથી હકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ મળ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી ગણીને શ્રી જોશી હાઈસ્કૂલ અથવા શ્રી મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ધો. ૯ માં વધારાનો વર્ગ મંજૂર કરી આપવા અને વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ ફાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. શિક્ષણ વિભાગના આ હકારાત્મક નિર્ણયથી પ્રવેશથી વંચિત ૧૯ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં વ્યાપેલી ચિંતા દૂર થઈ છે અને મોટી રાહત મળી છે.




Latest News