મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો


SHARE







મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો

જુના અમરાપર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીના ભૂલકાંઓ, બાલવાટિકાના બાળકો તેમજ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના બાળકોને રમત-ગમત અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી રમકડાની કીટ અર્પણ કરવામાં આવી હતી. તેમજ બાલવાટિકાના બાળકોને તેમની પ્રાથમિક શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ રસપ્રદ અને અસરકારક બનાવવા માટે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

ધો. ૧ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યા પ્રવેશ પુસ્તક આપી શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિદ્યાર્થીઓને સરગવાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ ઉછેરનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને નિયમિત શાળાએ આવવા, અભ્યાસમાં રસ લેવા અને જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી અંતર્ગત દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકમિત્રો, એસ.એમ.સી.ના સભ્યો, આંગણવાડી કાર્યકરો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફલા બનાવવા માટે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News