મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત


SHARE







મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત

મોરબીની ખારચીયા ગ્રામ પંચાયત દ્રારા જિલ્લા ખેતીવાડી અધિકારીને પત્ર લખીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થયા હોવા અંગે રજુઆત કરવામાં આવેલ છે.

રજૂઆતમાં જણાવાયેલ છેકે અમો મોરબી જિલ્લાના ખારચીયા ગામના તથા આમરણ ચોવીસીની આજુબાજુના ગામોના ખેડૂતો છીએ.અમારા વિસ્તારના મોટાભાગના ખેડૂતોના બેંક ખાતા 'ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ' આમરણ શાખામાં આવેલા છે.આ પત્ર દ્વારા એક ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરવામાં આવેલ છેકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રૂા.૨૦૦૦ ના છેલ્લા બે હપ્તા અમારા વિસ્તારના એટલે કે ખારચીયા અને આમરણ ચોવીસીની આસપાસના તમામ ખેડૂતોના ખાતામાં હજુ સુધી જમા થયા નથી.અહીંના ખેડૂતો નિયમિત રીતે યોજનાનો લાભ મેળવતા હતા અને તેમના ખાતા પણ સક્રિય છે.તેમ છતાં, છેલ્લા બે હપ્તાથી વંચિત રહેવાના કારણે ખેતીકામ અને આર્થિક આયોજનમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.આ સમસ્યા કોઈ એક વ્યક્તિગત ખેડૂતની નથી, પરંતુ આખી બેંક શાખા અને સમગ્ર પંથકના ખેડૂતોની છે.તેથી આમાં કોઈ ટેકનિકલ ખામી અથવા બેંક સ્તરે કોઈ પ્રક્રિયા અટકેલી હોય તેવી સંભાવના છે.માટે અધીકારી તરીકે આ બાબતને પ્રાથમિકતા આપીને સંબંધિત બેંક અને પીએમ કિસાન વિભાગ સાથે યોગ્ય તપાસ કરાવીને ખેડૂતોના અટકેલા હપ્તા વહેલી તકે તેમના ખાતામાં જમા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.






Latest News