મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા


SHARE





માળીયા (મી)ના ખીરાઈ ગામના પાટિયા પાસે ડમ્પર પાછળ એસટીની બસ ઘૂસી જતાં 5 મુસાફરોને ઇજા

 

મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર ખીરાઇ ગામના પાટીયા પાસેથી ડમ્પર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગમાં આવી રહેલ એસટી બસના ચાલકે તેની બસ ડમ્પરની પાછળના ભાગમાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં કુલ મળીને પાંચેક મુસાફરોને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ડમ્પરના ચાલકે એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી અને હાલમાં રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલ ઓવે બ્રિજ ખાતે રહેતા મુકેશ કાલુ ભુરીયા (32)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડટી 1538 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબી મુન્દ્રા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ખીરાઇ ગામના પાટીયા પાસે ઓવરબ્રિજ ઉપરથી આરોપી તેના હવાલા વાળી એસટી બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બસને પૂર ઝડપે અને બીજાની જિંદગી જોખમાઈ તે રીતે બસ ચલાવી હતી અને ફરિયાદીના હવાલા વાળા ડમ્પરમાં પાછળના ભાગે એસટીની બસ અથડાવી હતી જેથી બસમાં બેઠેલા પેસેન્જરોમાં રાહુલભાઈ ભવનભાઈ ઠાકોર રહે. મોરબી, રવિન્દ્રસિંહ કાન્તાસિંહ પરમાર રહે. કોહરા, રામજીભાઈ મેઘજીભાઈ વણકર રહે. કુકામ મુમતાજબેન સાલેમામદભાઈ કાતિયાર અને સુલતાન સાલેમામદભાઈ કાતીયાર રહે. બંને અંજાર વાળાઓને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ડમ્પરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News