મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન
SHARE
મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન
વર્ષ ૧૯૪૭ માં દેશના વિભાજન સમયે બલિદાન આપનાર અને વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે.
જે અંતર્ગત મોરબી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક યોજાશે અને ત્યાં વિશેષ વ્યાખ્યાનમાળા તેમજ દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિભાજનની વિભિષિકામાં નિર્દોષ જીવ ગુમાવનાર અને સંઘર્ષનો ભોગવનાર લોકોની યાદમાં નાલંદા વિદ્યાલયથી નવયુગ સંકુલ સુધી જિલ્લા કક્ષાની મૌન રેલી યોજાશે. તદુપરાંત, નવી પેઢી આ ઐતિહાસિક ઘટનાના મૂલ્યો અને સંવેદનાઓથી પરિચિત થાય તે માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાઓનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.