મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન

વર્ષ ૧૯૪૭ માં દેશના વિભાજન સમયે બલિદાન આપનાર અને વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવશે.    

જે અંતર્ગત મોરબી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાક યોજાશે અને ત્યાં વિશેષ વ્યાખ્યાનમાળા તેમજ દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિભાજનની વિભિષિકામાં નિર્દોષ જીવ ગુમાવનાર અને સંઘર્ષનો ભોગવનાર લોકોની યાદમાં નાલંદા વિદ્યાલયથી નવયુગ સંકુલ સુધી જિલ્લા કક્ષાની મૌન રેલી યોજાશે. તદુપરાંત, નવી પેઢી આ ઐતિહાસિક ઘટનાના મૂલ્યો અને સંવેદનાઓથી પરિચિત થાય તે માટે શાળાઓમાં ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાઓનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.






Latest News