મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે
મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ?
SHARE
મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ?
સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના તહેવાર ઉપર લોકમેળાની રાહ જોતાં હોય છે જો કે, મોરબીના મહાપાલિકા દ્વારા કોઈ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, જુદીજુદી 6 જગ્યાઓ ઉપર ખાનગી 6 લોકમેળાના આયોજન કરવામાં આવેલ છે
જન્માષ્ટમીના પર્વની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે કારણ કે ત્યારે લોકમેળાના ઠેરઠેર આયોજન થતા હોય છે અને તેમાં લોકો ફજેત, ફાળકા સહિતની રાઇડોમાં બેસવાની મજા માણતા હોય છે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું મોરબી પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી જો કે, મોરબીના લોકોને મેળાની મોજ મળે તે માટે થઈને એક કે બે નહીં પરંતુ 6 ખાનગી લોકમેળાનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે આજથી મોરબી શહેરમાં જુદાજુદા 6 ખાનગી મેળા શરૂ થયા છે જેમાં મોરબીના બાયપાસ રોડ ઉપર યંગ ઈન્ડિયા ગ્રૂપ ક્રિષ્ના મેળાનું આયોજન કરાયું છે જેમાં અવનવી રાઈડ તેમજ સ્ટોલ તેમજ લોકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પના રાખવામા આવેલ છે આ ઉપરાંત મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં, મહેન્દ્રનગર ચોકડી પાસે, કુબેર ટોકીઝના મેદાનમાં, પરશુરામ પોટરીના મેદાનમાં તેમજ લીલપર કેનાલ રોડ ઉપર આવેલ રમકો બંગલો વાળા મેદાનમાં ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આમ મહાપાલિકાએ ગત વર્ષની જેમ ભલે આ વર્ષે પણ લોકોના મનોરંજન માટે મેળાનું આયોજન ન કર્યું હોય પરંતુ મોરબીના લોકોને નિરાશ થવાની જરૂર નથી કેમ કે, રાઇડ્સ થોડી મોંઘી પાડશે પરંતુ જુદીજુદી 6 જગ્યા ઉપર લોકો મેળાની મજા માણી શકશે ખરા.