મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ?
મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
SHARE
મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
હિન્દુ રીતરિવાજો મુજબ સ્વજનના સ્વર્ગવાસ બાદ વર્ષો સુધી તેઓના પરિવારજનો તેમના આત્માની શાંતિ માટે અનેક ધાર્મિક, સેવાકાર્યો કરતા રહી દિવંગત આત્મીય જનને શ્રદ્ધાંજલિ આપતા હોય છે.
આવી જ રીતે મોરબીના રવાપર ગામના પૂર્વ સરપંચ અને હાલમાં મોરબી મહાપાલિકાના કોર્પોરેટર અને જાણીતા બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની પુષ્પાબેને બે વર્ષ પૂર્વે અનંતની વાટ પકડી અને સ્વર્ગ સીધાવ્યા હતા તેમના સ્વર્ગવાસ બાદ કાસુન્દ્રા પરિવાર તેમની સ્મૃતિમા માસિક, વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અનેક ધાર્મિક, સેવાકાર્યો કરતો રહ્યો છે. અને તા 2/9 રોજ તેમની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પણ ગોપાલભાઈ કાસુન્દ્રા પુત્ર પરિવાર સહિતના પરિવારજનોએ માનવ મંદિરના તમામ વડીલોને ભાવતા ભોજન જમાડી, માધવ ગૌસવર્ધન ટ્રસ્ટ, રવાપરમાં 51 મણ લીલો ઘાસચારો આપી, મોહન ગીર ગૌશાળામાં 11,111 નું તેમજ આમરણ ગૌશાળામાં 51 હજારનુ અનુદાન આપી પોતાના દિવંગત સ્વજનને સેવાકાર્યો કરવા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.