ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાને પગમાં ટાઈલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને રજા આપવામાં આવી હતી ત્યાર બાદ મહિલાને રૂમ લઈને ગયા હતા ત્યાર તેને ઝાડા ઉલટી થવા લગતા ફરી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહનું પીએમ કરાવતા તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાના કારણે મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા હીરબાઈ ભાગચંદ વંશલ (33) નામની મહિલાને ગત તા. 23/8 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતી હતી ત્યારે જમણા પગમાં ટાઇલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે રફાળેશ્વર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ સાંજના સમયે રજા આપી દેવામાં આવી હતી જેથી મહિલાને સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં લઈ ગયા હતા અને ત્યારબાદ રાત્રે તેને ઝાડા ઉલટી થવા લાગતા તે મહિલાને ફરી પાછા રફાળેશ્વર ગામ પાસે આવેલ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની બીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બાદમાં આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમાં મૃતક મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News