રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી


SHARE









મોરબીના સંદિપસિંહ જાડેજાની એપીવીપી પ્રદેશ સહમંત્રી તરીકે વરણી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન કે જે ભુજ (કચ્છ) ખાતે યોજાયુ હતુ તેમાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨ ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી છે તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.સંજયભાઈ ચૌહાણની તેમજ પ્રદેશ મંત્રી તરીકે યુતિબેન ગજરેની નિમણુક કરાઇ હતી અને મોરબી શાખાના કાર્યકર્તા છાત્ર નેતા સંદિપસિંહ ભીખુભા જાડેજાની તેમા પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક કરાઇ છે.

મોરબીના સંદિપસિંહ વર્ષો જૂના કાર્યકર્તા છે. અગાઉ વિદ્યાર્થી પરિષદમાં તેમણે ઓમવીવીઆઇએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકેનગર સહમંત્રીનગરમંત્રીપ્રદેશ કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારી વહન કરેલ છે. હાલ તેઓ મોરબી જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે.તેઓએ બીબીએના સ્ટુડન્ટ છે.૨૦૧૮ થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરીને તેમજ વિવિધ કેમ્પસમાંથી વિધાર્થીઓમાં રાષ્ટ્રભાવ જગાડીને તેઓ મોરબી જિલ્લાના વિધાર્થીઓના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. અને સંદિપસિંહ જાડેજાની પ્રદેશ સહમંત્રી તરીકે નિમણુક થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા ખૂબ જ ગર્વ અનુભવે છે. તેમની નિમણુક થતાં મોરબી શાખા દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા 






Latest News