મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઇ


SHARE













મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવાઇ

ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરી દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા.૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ ૨૫મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન વર્ચ્યુયલી કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને પ્રસંગોચિત સંદેશ આપ્યો હતો. આ તકે મોરબી જિલ્લામાં નવયુગ સંકુલ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવના દ્વિતિય તથા તૃતીય ક્રમના વિજેતાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને ડિજીટલ માધ્યમથી નિહાળી અને ઓનલાઈન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.








Latest News