મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?


SHARE











મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને મોરબીના મહેન્દ્રપરામાં બનેલા મેઇન રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રાવ કરેલ છે.
 
તેઓએ વધુમાં જણાવ્યું છેકે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.આ રોડ  બન્યા બાદ ખુબ જ ટુંકા સમયમાં તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડમાં જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરાયેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થયુ હોવાથી આ રોડ તૂટી જવા પામેલ છે.
 
જેથી તેઓએ લોકહિતમાં માંગણી કરેલ છેકે આ રોડ નવેસરથી બનાવવો જોઇએ તેમજ આ નબળા કામના જવાબદારો સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે દંડાત્મક પગલા લેવા જોઇએ.જો આમ નહિં કરવામાં આવો તો નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અંતમાં કે.ડી.બાવરવા દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.





Latest News