મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?


SHARE













મોરબી નગરપાલિકા દ્વારા બનાવાયેલ મહેન્દ્રપરાં મેઈન રોડમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ ક્યારે..?
 
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને મોરબીના મહેન્દ્રપરામાં બનેલા મેઇન રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે રાવ કરેલ છે.
 
તેઓએ વધુમાં જણાવ્યું છેકે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહેન્દ્રપરા મેઈનરોડનું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.આ રોડ  બન્યા બાદ ખુબ જ ટુંકા સમયમાં તૂટી જવા પામેલ છે.આ રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો.આ રોડમાં જનતાના ટેક્સના પૈસા ખર્ચીને બનાવવામાં આવેલ હતો.પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરાયેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થયુ હોવાથી આ રોડ તૂટી જવા પામેલ છે.
 
જેથી તેઓએ લોકહિતમાં માંગણી કરેલ છેકે આ રોડ નવેસરથી બનાવવો જોઇએ તેમજ આ નબળા કામના જવાબદારો સામે કાયદેસરની તપાસ કરાવીને કસુરવારો સામે દંડાત્મક પગલા લેવા જોઇએ.જો આમ નહિં કરવામાં આવો તો નાછુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અંતમાં કે.ડી.બાવરવા દ્રારા ઉચ્ચારવામાં આવેલ છે.







Latest News